Friday, March 18, 2022

તમારાં જીવનમાં સમતોલન પુનઃસ્થાપિત કરવાની ૮ રીતો

 ૧.​દરેક દિવસની શરૂઆતમાં ૬૦ મિનિટનો “પવિત્ર કલાક” રાખો અને તમારાં મન, શરીર, લાગણીઓ તથા આત્માને પોષણ આપો. 

૨.​દર અઠવાડિયે થોડોક સમય કુદરતમાં ગાળો. 

૩.​જેમની પ્રશંસા કરવી જરૂરી હોય તેમને “પ્રેમ પત્રો” લખો. 

૪.​દરરોજ ઓછામાં ઓછી દસ મિનિટ સુધી મૌન, એકાંત તથા નીરવતાનો અનુભવ કરો. 

૫.​જે વસ્તુઓએ તમને બાળક તરીકે ખુશી આપી હોય તે કરો. 

૬.​કસરત કરવા વિશે ગંભીર બનો કારણ કે તમારાં આરોગ્ય કરતાં વધુ મહત્વનું કંઈ જ નથી. 

૭.​તમારા વિચારોની સ્પષ્ટતા વધારવા તથા તમારી આંતરદૃષ્ટિને વધુ ગહન કરવા માટે નોંધપોથીમં લખો. 

૮.​તમારી જાત કરતાં વધુ મોટો ઉદ્દેશ શોધો અને અન્યોને પાછું આપો.

નોંધનીય પ્રશ્નો 

૧.​તમે ઇચ્છો છો તેવું જીવન બનાવવાથી તમને રોકતાં હોય તેવા સૌથી મોટા ત્રણ અવરોધો કયા છે ?

૨.​એવી કઈ ૩ મુખ્ય વસ્તુઓ છે જે તમારી ઊર્જા નીચેવી લે છે અને તમને તમારું શ્રેષ્ઠ જીવન જીવતાં અટકાવે છે ? 

૩.​એવાં કયાં ૩ જોખમો છે જે તમારે લેવાં જરૂરી છે, પરંતુ તમે જેને ટાળો છો ? 

૪.​એ કઈ ૫ સૌથી મહત્વની બાબતો છે જે તમે વીતેલાં વર્ષ પાસેથી શીખ્યા ? 

૫.​તમે તમારાં જીવનને જેવું બનાવવા માંગો છો તેને માટેના ૫ શબ્દો કયા છે ?

No comments:

Post a Comment